ટેસ્ટ : બંધારણ & રાજ્યવ્યવસ્થા ટેસ્ટ – 02

1. 
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે.
2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી.
3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
2. 
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.
3. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ.
2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં.
3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે,
4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.
4. 
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.
5. 
પંચાયત રાજ પ્રણાલી બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. પી. કે. થંગન સમિતિ – જીલ્લા કલેક્ટર જીલ્લા પરિષદના મુખ્ય કારોબારી અધિકારી હોવા જોઈએ.
2. વી. એન. ગાડગીલ સમિતિ – પંચાયત રાજ પ્રણાલીની મુદત ત્રણ વર્ષની હોવી જોઈએ.
3. જી. વી. કે. રાવ સમિતિ – જીલ્લા વિકાસ કમિશ્નરના હોદ્દાનું નિર્માણ કરવું જોઈએ.
6. 
74મા બંધારણીય અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી?
7. 
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.
8. 
ભારતના ચૂંટણી આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. બંધારણે ચૂંટણી આયોગના સભ્યોની મુદતની સ્પષ્ટતા કરેલી છે.
2. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તોને સરકાર દ્વરા કોઈપણ વધુ રોજગારી નિમણૂક આપવા સામે પ્રતિબંધ કર્યો છે.
3. ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત ફક્ત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.
9. 
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે.
2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે.
3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.
10. 
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે.
2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે.
3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.
11. 
રાજ્ય માહિતી આયોગ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. આયોગ રાજય મુખ્ય માહિતી આયુક્ત અને 15 કરતાં વધારે નહીં એટલા માહિતી આયુક્તોનું બનેલું છે.
2. તેઓની નિમણૂંક રાજ્યપાલ દ્વારા પસંદગી સમિતિની ભલામણો ઉપર થાય છે.
3. પસંદગી સમિતિ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ તરીકે અને વિરોધ પક્ષના નેતા અને ફક્ત રાજ્યના ગૃહમંત્રીનો સમાવેશ કરે છે.
12. 
કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ની હકૂમત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં મેનેજર અને તેની ઉપરના હોદ્દાઓ CVC ની હકુમત હેઠળ આવે છે.
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, SIDBI અને NABARD ના ગ્રેડ D અને તેની ઉપરના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.
3. સંરક્ષણ સામગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં સંરક્ષણ દળના કર્નલ અને તેની નીચેની પાયરીના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.
13. 
ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી.
2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે.
3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.
4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે.
14. 
રાજ્યપક્ષ તરીકેની માન્યતા માટે નીચેના પૈકી કઈ શરત/શરતોનું પાલન થવું જરૂરી છે?
15. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.
16. 
રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન જાહેર કરવાના નીચેના પૈકી કયા પરિણામો હોવા જરૂરી નથી?
1. રાજ્યવિધાનસભાનું વિસર્જન થવું.
2. રાજ્યમાં મંત્રીમંડળનું દૂર થવું.
3. સ્થાનિક સંસ્થાઓનું વિસર્જન થવું.
17. 
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
18. 
ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે.
2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે.
3. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.
19. 
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં.
2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી.
3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે.
4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
20. 
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
21. 
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે.
2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.
22. 
સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે.
2. સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયાં બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ.
3. સંસદની મંજૂરી અપાયા પહેલાં, રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ તેને બરતરફ (dismiss) કરી શકતા નથી.
23. 
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે?
1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.
2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે.
3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.
24. 
સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
25. 
સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?